Saturday, April 12, 2008

શહીદ ભગતસિંહ, આંતકવાદી કે શહીદ ?

ગુણવંતશાહ ‘દિવ્‍યભાસ્‍કર‘ રવિપૂર્તિમાં લખે છે ,
પાઘડીનો વળ છેડે
ઉંચું શિક્ષણ પામેલા મુસ્લિમો બોમ્બર બને તે ખૂબ જ ચિંતાજનક છે. છેલ્લાં સો વર્ષોદરમિયાન પિશ્ચમ તરફથી થયેલા વ્યવહાર અંગે મુસ્લિમો તીવ્ર ગુસ્સાની લાગણી અનુભવે છે...આ ગુસ્સો ભગતસિંહ જેવા આપણા ક્રાંતિકારીઓના બ્રિટિશરાજ સામેના ગુસ્સા જેવો છે. -જે.એસ.બંદૂકવાલા (‘ધ ઇન્ડિયન એકસ્પ્રેસ,’ તા. ૧૬-૭-૨૦૦૭)
નોંધ : જો આતંકવાદીઓને ભગતસિંહ જૉડે સરખાવીએ, તો તેમની સામે જાનને જૉખમે લડનારાઓને કોની સાથે સરખાવીશું?
http://www.divyabhaskar.co.in/2008/04/07/0804071127_vicharona_vrundavanma.html
---------------------------
તે તો ગુણવંત જી, બીટ્રીશરોથી પુછો ને કે તેઓ ભગતસિંહ જોડે જાનના જોખમે લડનારા તેમના સૈનિકોને, શું કહેતા હતા ?
ઉચ્‍ચ ધ્‍યેય માટે મરનાર દરેક વીર અને શહીદ કહેવાય ...
હા શત્રુ તો તેને આંતકવાદી જ કહેવાના !
પ્રશ્ર્ન એ છે કે તમે એ ‘‘છેલ્લાં સો વર્ષોદરમિયાન પિશ્ચમ તરફથી થયેલા વ્યવહાર અંગે નારાજ મુસ્લિમો અને ઉંચું શિક્ષણ પામેલા મુસ્લિમો બોમ્બર ‘‘ ના કોણ છો ?
શત્રુ કે મિત્ર ?
જવાબ સરળ છે .
સમસ્‍યાના મુળ જોવાથી સમસ્‍યા સમજાય છે, સત્તાનો રૂઆબ અને પ્રચારની આંખે અંજાવાથી સત્‍ય પરદા પાછળ રહી જાય છે.
ભગતસિંહ પણ તો પિશ્ચમ વિરોધે જ ચડયા હતા ને, કેમ શહીદ કહેવાયા ?
ત્‍યારે પણ તો ઘણા પિશ્ચમના ટેકેદારો તેમને આંતકવાદી જ કહેતા હતા ને !

Monday, March 17, 2008

સારા જહાં હમારા,

હિંદોસ્‍તાં હમારા

રહને કો ઘર નહિં, સારા જહાં હમારા

એક સરસ મજાની કલીપ, એક જૂની ફિલ્‍મમાંથી.......

http://www.youtube.com/watch?v=Hob9dkA0d7g

Wednesday, February 27, 2008

આંતકવાદના નામે મુસલમાનોને અને મદરેસાઓને બદનામ કરતા અખબારો અને લેખકો અને ‘દળો‘ , ‘સંઘો‘ અને ‘પરિષદો‘ ની સેવામાં મુસ્લિમોનું સદાયે ઘસાતું લખનાર, અહિત ઇચ્‍છનાર અને મુસલમાનોને બદનામ કરવામાં સદાયે અગ્રેસર એવા ગુજરાત સમાચારનો એક લેખ પ્રસ્‍તુત છે.

http://www.gujaratsamachar.com/gsa/20080224/guj/supplement/hotline.html

જરા વાંચીને જુવો કે કયાં કોલેજો અને કયા મદરેસાઓ ....

એક વાર કોઇ મદરેસામાં આવી પવિત્ર માહોલની અનુભુતિ કરો તો ખબર પડે માનવતા અને સંસકારોનું સિંચણ અહિયા થઇ રહયું છે.

Saturday, September 01, 2007

HYDRABAD

થોડા દિવસ પહેલાં હેદરાબાદમાં થયેલા ધડાકા બાબતે હવે તપાસ કયાં છે ?
હજુ પોલીસ અંધારામાં છે,
હજુ થોડા દિવસ પછી સમાચાર આવશે કે આ ધડાકા માટેના જવાબદાર ત્રાસવાદીને કાશ્‍મીરમાં ઠાર મારી દેવામાં આવ્‍યો છે. મુસ્લિમ બહુલ વિસ્‍તારોમાં મુસ્લિમોને મારવા મુસલમાનો જ ધડાકા કરે એ કોને સમજમાં આવે છે ?
નકકી એ મુસલમાનોના શત્રુઓનું કામ છે,
પણ
તંત્ર આખું હિંદુ ત્રાસવાદીઓના હમદર્દો અને કર્મચારીઓથી ભરેલું છે, એક ગ્રંથી કોઇ પણ ઘટના માટે ત્રાસવાદને જવાબદાર બનાવવાની બની ગઇ છે,
અને ત્રાસવાદ એટલે મુસલમાન......! બાકી આ વિસ્‍તારમાં નકસલીઓના પ્રભાવને કોણ નથી જાણતું ?
તેઓની વધતી જતી પ્રવૃતિઓ બાબતે અનેક લોકોએ તંત્રને ચેતવ્‍યું છે, પણ ભષ્‍ટ તંત્રને એમાંથી વોટ નથી મળતા, એ બાબતે કંઇ કરવામાં જાનનો ખતરો છે,
એટલે દોષનો ટોપલો મુસલમાનો પર ઢોળી દેવામાં એક કાંકરે અનેક શિકારો થઇ જાય છે...... અમારો આશય આ ધડાકા કરનારાઓને છાવરવાનો નથી,
પણ
સાચા જવાબદારો સુધી નહિ પહોંચવાની તંત્રની નીતિને વખોડવાનો છે.
છેલ્‍લા બે ત્રણ વરસોમાં અનેક શહેરોમાં ધડાકા થયા, જે પાછળથી સંઘ કે વી.અેચ.પી. કે ( કોઇ હિન્‍દુએ વ્‍યકિતગત ? ) કર્યા હતા, પણ મીડીયામાં એ કોણ ઉછાળે ?
માલેગાંવ, નાગપૂર અને નાંદેડ અને દિલ્‍હીમાં વગેરેમાં આવા ધડાકાઓ અને તે બાબત પોલીસ કે અન્‍યો પર કરવામાં આવેલા દોષારોપણનો કોઇ જવાબ કોઇની પાસે નથી, જરૂરત છે
પોતાની આંખે જોવાની,
ન્‍યાયની આંખે જોવાની,
પશ્ચિમની આખં નહિ, નફરત અને દેષની આખૈ નહીં.
બધા ભારતીયો મારા ભાઇ બહેન છે

Wednesday, August 22, 2007

ધણીને ધાકમાં રાખો

ધણિયાણી ઓ ધણિયાણી
સલાહ તમને આ સુફિયાણી

મૂકો ના ઢોરને છૂટું કે નથણી નાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો , ધણીને ધાકમાં રાખો

કરે જો ગલ્લાંતલ્લાં એક સાડી લાવવા માટે
તમાકુ પાનબીડીના હિસાબો માંગતા રહેજો
તમે હો ગેરહાજર ઉડાવે ના એ છકકનિયાં
પિયરથી બે દિવસ વહેલા જ નીકળી આવતા રહેજો
ગમે તે રીતથી એને કોઈ પણ વાંકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .

તમે રાંધોને એ અખબાર વાંચે, ના ચલાવી લ્યો
મસાલો વાટવા આપો , જરા કાંદા કપાવી લ્યો
રવિવારે રજા એની તમે શાને રસોડામાં ?
સિનેમા જોઈને એકાદ હોટેલમાં જ ખાઈ લ્યો
જમાડો ના શિખંડ-પૂરી , બફેલા શાકમા રાખો
ધણીને ધાકમાં રાખો .

જો કપડાં પર જરા પણ સેન્ટ છાંટે તો નજર રાખો
વધારે બૂટ પોલિશ જો કરાવે , તો નજર રાખો
કરચલી શર્ટમાં પડવા ન દે , ભયની નિશાની છે
રૂપાળી તો નથી સેક્રેટરી પર્સનલ, ખબર રાખો
બને તો પાયજામાં કફનીના પોશાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .

કે પહેલી તારીખે તમને પૂરી આવક એ આપી દે
અરે! હિંમત શું એની કે તમારો બોલ ઉથાપી દે!
કે સાવરણી અને વેલણ સદાયે હાથમાં રાખો
તમે માંગ્યું હો બસ પાણી અને એ દૂધ આપી દે
કડાકો એટલો ઊંચો તમારી હાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .

http://www.forsv.com/vaat-chit/viewtopic.php?t=278

Tuesday, August 14, 2007


Friday, August 10, 2007

TASLIMA NASREEN & HYD ATTECK તસલીમા નસરીન

તાજેતરમાં હેદરાબાદ ખાતેના એક સંમેલનમાં તસલીમા નસરીન પર એક સમારોહમાં રોષે ભરાયેલી શાણી પ્રજાએ હલ્‍લો બોલી દીધો,
મીડીયા એને વખોડે છે, કહે છે કે આ વાણીવિચારની સ્‍વતંત્રતાના વિરુધ્‍ધ છે, તસલીમા એ સ્‍વતંત્રતા વાપરવા માંગે છે તો પછી એના પરિણામો પણ એને ભોગવવા તૈયાર રહેવું જોઇએ,
શીદને આ મુસ્લિમબહુલ શહેરમાં શોર્યપ્રદર્શન માટે આવી પૂગી ? લોકોને પણ વિરોધ કરવાની આઝાદી ખરીને ?
વાત ધર્મના નામે અબળા પર અત્‍યાચારની નથી, વૈચારિક સ્‍વતંત્રતાના નામે ધર્મનિંદાની છે. તસ્‍લીમાની લજજાનો ગુજરાતી અનુવાદ અમે વાંચ્‍યો છે, એમાં સાહિત્‍યની ગંધ આવે એવું કંઇ નથી, ફકત સસ્‍તી પ્રસિધ્ધિ માટેનું નાટક લાગે છે,

ગુજરાત સમાચારના એક તાજેતરના (તા. ૧૦/૮/૦૭) લેખમાં કોઇ નનામો કોલમિસ્‍ટ લખે છે કે તસ્‍લીમાએ કુર્આન વાંચ્‍યું તો જાણ્‍યું કે કુર્આનમાં અન્‍યધર્મોના લોકોને હલકા ચીતરવામાં આવ્‍યા છે, એ વાંચીને તસલીમાને આંચકો લાગ્‍યો. કુર્આનમાં સ્‍ત્રીને એક વસ્‍તુ જ માનવામાં આવી હતી, અને તેને ઉતારી પાડતી અનેક વાતો પણ લખવામાં આવી હતી.
http://www.gujaratsamachar.com/gsa/20070810/guj/vishesh/anu.html

કદાચ આ લેખકને યાદ નહી હોય કે હિંદુ ધર્મ ગંથોમાં અન્‍યધર્મીને મલેચ્‍છ કહેવામાં આવ્‍યો છે, અને સ્‍ત્રી વિશે તો આ કોલમિસ્‍ટની વાત અત્‍યંત જુઠાણું છે, કદાચ તસલીમાથી પણ એક કદમ આગળ....
એ વાત સાચી કે હિંદુ ધર્મગ્રંથોમાં સ્‍ત્રીની આ જ હેસિયત છે, પણ કુર્આનમાં તો હરગિઝ નહી, સ્‍ત્રીને જેટલું સન્‍માન કુર્આનમાં આપવામાં આવ્‍યું છે, એટલું બીજા કોઇ ધર્મગ્રંથમાં નથી જ...
કુર્આનનો અભ્‍યાસ કરનાર મોહનદાસ કરમચંદ ગાંધીજી, વિનોબા ભાવે પણ છે, વર્તમાનમાં પણ અનેક લેખકો કુર્આન વાંચે છે, જે તેમને ના દેખાયું તે ચૌદ વરસની તસલીમાને દેખાયું,
અને એ બાઇએ લખ્‍યું કે તરત જ લોકોએ એનો વિરોધ કર્યો,
બસ પછી શું હતું, પશ્ર્ચિમના માનવધિકાર સંગઠનો, અને લેખકોએ એક મોટા સાહિત્‍યકારની શોધ કરી લીધી, તેમને મન તો ઇસ્‍લામ કે ઇસ્‍લામી બાબતે ઘસાતું લખનાર કોઇ પણ હોય, મોટો સંશોધક અને સાહિત્‍યકાર !

નવલકથા કદી સંપૂર્ણ રીતે વાસ્‍તવિકતા આધારિત હોય શકે ?
લોકો એની નવલકથાને મુસ્લિમદેશોમાં સ્‍ત્રી પર થતા અત્‍યાચારોનો આયનો સમજે છે, જયારે કે એ વાસ્‍તવિકતા કદાપ્‍િા નથી, શું ભારતમાં મુસલમાનો કોઇ હિંદુના પાડોશમાં નથી રહેતા ? તેઓ શુ જુએ છે ?
ધર્મની આંખ તો સારું જોનારી હોય, આંધળી અને ધૃણા ભરેલી ન હોય !
હિંદુ બિરાદરોને, વિશેષ કરી આવા કોલમિસ્‍ટોને અમારી નીચે દર્શાવેલ પુસ્તિકા વાંચી જવા વિનંતી.....
વિરોધ કરનારાઓના વિરોધને સમજવામાં નથી આવતો, વિરોધ ઈસ્‍લામ વિશે ઘસાતું લખવા પર છે, અમે અત્‍યંત નીચે ઉતરીને, હિંદુ બિરાદરોથી માફી સહિત, વાસ્‍તવિકતા એવી નથી એવું સ્‍વીકારી, ફકત કલ્‍પના કરવા પુરતું એક ઉદાહરણ આપીએ છીએ, જો કુષ્‍ણ અને ગોપીઓ વિશે કંઇક સાફ શબ્‍દોમાં કોઇ લખે તો .........તે શું આપણને સ્‍વીકાર્ય હશે ? ? ?
ખેર આ તો બીજી વાતો છે,
મુળ વાત છે, કુર્આનમાં અન્‍યધર્મીઓને હલકા ચીતરવાની ... વી.એચ.પી. તરફથી થોડા સમય પહેલાં આ જ બહાને કુર્આનની ર૪ આયતો પર વાંધા ઉઠાવવામાં આવ્‍યા હતા, અને એને કુર્આનમાંથી બાકાત કરવાની માંગણી કરવામાં આવી હતી, અમે તેના જવાબમાં એ આયતોના સાચા અને વાસ્‍તવિક અર્થઘટન અને એવી જ વાતો રામાયણ, વૈદો અને પુરાણોના અનુસંધાન ટાંકી કુર્આનના મર્મને સમજાવવા ખાતર એક નાનકડી પુસ્તિકા લખી હતી, જો તેને વાંચી લેવામાં આવે તો આશા છે કે ઘણી શંકાઓનું સમાધાન થઇ જાય.
પુસ્તિકાનું નામ , કુર્આનની ર૪ આયતો
ઇન્‍ટરનેટ પર પુસ્તિકા PDF ફોરમેટમાં અહિંયા ઉપલબ્‍ધ છે,
સુવાસ ડાઉનલોડ સેન્‍ટર

પ્રિન્‍ટ એડીશન મેળવવા માટે

જામિઅહ ઉલૂમુલ કુર્આન,
બાયપાસ રોડ, જંબુસર
મુ.પો. જંબુસર, જિ. ભરૂચ.
પીન. ૩૯ર૧૫૦